Monday, October 10, 2022

વિટામીન-ડીની ઉણપ

 

વિટામીન-ડીની ઉણપથી હાડકા, માંસપેશિયામાં ખામી સર્જાય છે


- ઘરે બનાવેલા ઓરેન્જ જ્યુસમાં વિટામીન-ડીનું સારું પ્રમાણ હોય છે. તે ઉપરાંત ગાયનું દૂધ પીવાથી ઘણાં તત્વો મળી રહે છે. એમાં વિટામીન-ડીનો ય સમાવેશ થઈ જાય છે. 

ભા રતમાં ૭૦થી ૯૦ ટકા લોકોમાં વિટામીન-ડીની ઉણપ હોવાનો ચોંકાવનારો અહેવાલ આવ્યો હતો. દેશમાં લગભગ ૮૦ કરોડ લોકોના શરીરમાં વિટામીન-ડીની ખામી છે. અહેવાલમાં તો ત્યાં સુધી દાવો થયો હતો કે દેશના ૮૮ ટકા શહેરીજનો વિટામીન-ડીની ખામીથી પીડાય છે. અહેવાલ પછી સહજ રીતે સવાલ એ થાય કે વિટામીન-ડીની ઉણપ હોય તો ખરેખર શરીરમાં કેવી તકલીફ થઈ શકે છે?

વિટામીન-ડીની ઉણપ હોય તો થાક વર્તાય. ઓફિસ કે ઘરકામમાં થોડી થોડી વારે થાકનો અનુભવ થાય. વાળ ખરતા હોય તો પણ વિટામીન-ડીની ઉણપ હોવાની શક્યતા છે. વિટામીન-ડીની ઉણપથી હાડકા અને માંસપેશિયામાં ખામી સર્જાય છે. કારણ કે વિટામીન-ડી કેલ્સિયમની કમીને પૂરી કરે છે અને કેલ્સિયમની ઉણપ હોય તો હાડકા-વાળને અસર થાય છે. ઘણી વખત કોઈ ઘાવ લાગ્યો હોય તો એમાં રૂઝ આવતી નથી. એની પાછળ પણ વિટામીન-ડીની કમી જવાબદાર હોય છે. લોહીની કોશિકાઓમાં ખામી સર્જાતી હોવાથી વારંવાર માંસપેશિયામાં કળતર થાય છે.

ભારતીયોના આહારમાં ચિંતાજનક રીતે પરિવર્તન આવ્યું હોવાથી વિટામીન-ડીની ઉણપ સર્જાવા લાગી છે. ધ લેન્સેટમાં વિટામીન-ડીની ઉણપના ઉપાયો અપાયા હતા. તે પ્રમાણે ઘરે બનાવેલા ઓરેન્જ જ્યુસમાં વિટામીન-ડીનું સારું પ્રમાણ હોય છે. તે ઉપરાંત ગાયનું દૂધ પીવાથી ઘણાં તત્વો મળી રહે છે. એમાં વિટામીન-ડીનો ય સમાવેશ થઈ જાય છે. દહીં-છાસનો ખોરાકમાં સમાવેશ થાય તો પણ વિટામીન-ડીની ખામી ભરપાઈ કરી શકાય છે. 

વઘારમાં તમાલપત્રનો ઉપયોગ ડાયાબિટિસ નિયંત્રણમાં રાખવા સક્ષમ

'બે-લીફ' જેવું અંગ્રેજી નામ ધરાવતું આપણું તમાલપત્ર વઘારમાં વપરાતો એવો નાનકડો મસાલો છે, જે ન હોય તો પણ આમ કંઈ ખાસ ફરક વર્તાતો નથી. તેની હાજરીથી અમુક પ્રકારના વઘારમાં સ્વાદ ઉમેરાય છે ખરો, પરંતુ વઘારમાં તેની હાજરી અનિવાર્ય ગણાતી નથી. જોકે, વઘારની આ નાનકડી ચીજ શરીર માટે ખૂબ ગુણકારી હોવાનું સંશોધકોએ સ્વીકાર્યું છે. વિટામીન-એ, વિટામીન-સી, ફોલિડ એસિડ જેવા તત્વોની હાજરી તમાલપત્રમાં હોય છે. તે ઉપરાંત મિનરલ્સ પણ મળે છે. એ સિવાય ઘણાં સ્વાસ્થ્યવર્ધક ગુણો તમાલપત્રમાં જણાયા છે.

જર્નલ ઓફ બાયોકેમિકલ ન્યૂટ્રીશનમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ પ્રમાણે વઘારમાં તમાલપત્રનો ઉપયોગ કરવાથી એસિડિટી થતી નથી. વઘારમાં તમાલપત્રનો ઉપયોગ માત્ર સ્વાદ માટે જ ગુણકારી નથી, પરંતુ જઠર માટે પણ ખૂબ લાભદાયી છે. ભારતમાં તો તમાલપત્રને જડી-બૂટીનો દરજ્જો આપવામાં આવે છે. હવે વિદેશી સંશોધકો ય જાણે તેમાં સહમત થયા છે! એ અહેવાલમાં તો ત્યાં સુધી કહેવાયું હતું કે સપ્તાહમાં એટલિસ્ટ તમાલપત્રનો વઘારમાં બે-ત્રણ વખત ઉપયોગ કરવાથી ડાયાબિટિસ નિયંત્રણમાં રહે છે. ઈન્સુલિન ફંક્શનમાં સુધારો કરવામાં તમાલપત્ર મદદરૂપ બને છે.





From:

https://www.gujaratsamachar.com/news/ravi-purti/deficiency-of-vitamin-d-causes-defects-in-bones-muscles

૧૩ ઑગસ્ટને વિશ્ર્વ અંગદાન દિવસ

  અંગ દાનને પ્રોત્સાહન આપવું: ઉદારતા દ્વારા જીવન બચાવવું તાજેતરના વર્ષોમાં, સરકારી સંસ્થાઓ, આરોગ્યસંભાળ સંસ્થાઓ, સામાજિક કાર્યકરો અને સામાન્...

Ravi purti News

આરોગ્ય તથ્યો જેના પર તમે વિશ્વાસ કરી શકો છો.

ECHO News

Health News

Business plus