‘વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે’:મેન્ટલ હોસ્પિટલમાં મહિલાઓ સાથે દુર્વ્યવહાર, કપડાં વગર રાખતાં, મુંડન કરાવતા, વીજળીના ઝટકા આપીને કરતા ઈલાજ
તે માનસિક રીતે અસ્વસ્થ બની ત્યારે તેનો પરિવાર તેને એક મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરીને જતો રહ્યો. પાછા ફરીને કોઈએ તેના સમાચાર પણ લીધા નહીં. થોડાં વર્ષો સારવાર પછી તે ઠીક થઈ ગઈ. 1990ના દશકમાં તેને ડિસ્ચાર્જ માટે સ્વસ્થ જાહેર કરવામાં આવી હતી, પરંતુ તેને ઓગસ્ટ 2013 સુધી હોસ્પિટલમાં જ રહેવું પડ્યું, કેમ કે જે પરિવારે તેનો ઉછેર કર્યો હતો તે જ તેને ભૂલી ગયો હતો. રહેવા માટે તેની પાસે કોઈ અન્ય સ્થાન હતું નહીં. ઠીક થવાનાં 20 વર્ષ પછી પણ તેનું જીવન મેન્ટલ હોસ્પિટલમાં
જ પસાર થયું.
મીડિયા રિપોર્ટ્સથી લઈને રિસર્ચ
સુધી સતત આ કેસનો ઉલ્લેખ
કરવામાં આવે છે, પરંતુ આ એકમાત્ર આવો કેસ નથી. દેશભરની મેન્ટલ
હોસ્પિટલમાં આવા અનેક મામલા છે...
2016માં તિરુવનંતપુરમના
પેરુર્કાદા સ્થિત મેન્ટલ હેલ્થ ઇન્ટિટ્યૂટના
સમાચાર ચર્ચામાં રહ્યા, જ્યાં 150 મહિલા દર્દી સ્વસ્થ થયાં પછી પણ હોસ્પિટલમાં
રહી, કેમ કે તેમને તેમના પરિવારના લોકોએ પહેલાં જ છોડી દીધા હતા
આ પ્રકારે ઝારખંડના રાંચી ઇન્ટિટ્યૂટ ઓફ ન્યૂરો-સાઇકિયાટ્રી એન્ડ એલાઇડ સાઇન્સેજ (RINPAS)ને એકવાર આવા જ 98 દર્દીનું લિસ્ટ જાહેર કરવું પડ્યું, જેમને પરિવારના લોકોએ પહેલાં જ છોડી દીધા હતા. દિલ્હીના IHBASમાં પણ આવા મામલાઓ સામે આવી ચૂક્યા છે.
આ બીમારીનું સૌથી ભયાનક સ્તર એ છે કે મેન્ટલ હોસ્ટિપલમાં
દાખલ કરવામાં આવતી 4 મહિલાઓથી 1 મહિલાને તેમના પરિવારના લોકો ક્યારેય પાછા લેવા માટે આવતા નથી. રાષ્ટ્રીય મહિલા આયોગ અને નિમ્હૈંસે 2016માં દેશની 10 માનસિક હોસ્પિટલમાં
એક અભ્યાસ કર્યો, જેમાં જાણવા મળ્યું કે 23.7 ટકા મહિલા દર્દીઓ ઠીક થયા પછી પણ 10 વર્ષથી વધારે સમયથી મેન્ટલ હોસ્પિટલમાં જ પડી રહે છે.
આ હોસ્પિટલમાં રહેતી 60 ટકા મહિલાઓ પરિણીત છે અને 30 ટકા હોમમેકર છે.
જોકે એવું
નથી કે માત્ર હાઉસવાઇફ જ માનસિક બીમારીઓનો શિકાર
થઈ રહી છે, વર્કિંગ વુમન
પણ આ મુશ્કેલીઓ માટે લડી રહી છે.....
દક્ષિણથી લઇને ઉત્તર અને પૂર્વથી પશ્ચિમ સુધી, દેશની મોટા ભાગની હોસ્પિટલ એવી છે, જ્યાં દાખલ મહિલાઓને તેમનો પરિવાર ભૂલી ગયો છે.
ઘરના લોકો જ્યારે મહિલાને દાખલ કરાવવા આવે છે ત્યારે પોતાનું નામ અને સરનામું ખોટું લખાવે છે, જેને કારણે સ્વસ્થ થયા પછી મહિલાઓને તેમના ઘરે પહોંચવું મુશ્કેલ બની જાય છે. મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સ પ્રમાણે ભારતમાં માનસિક સમસ્યાઓથી પરેશાન મહિલાઓને નિરાશ્રય છોડી દેવું સામાન્ય વાત છે.
હોસ્પિટલ કહે છે, આ મહિલાઓ સંપૂર્ણપણે સ્વસ્થ હોય છે. તેઓ પોતાના ઘરે જવા ઇચ્છતી હોય છે, પરંતુ પરિવારની રાહ જોવામાં જ સમય વીતી જાય છે.
સાઇકિયાટ્રિસ્ટ
જણાવે છે કે અનેકવાર તો ઘરના લોકો આ મહિલાઓને કોઈ લાંબી દૂરની ટ્રેનમાં બેસાડી દે છે, મંદિર કે કોઈ અન્ય શહેરમાં મૂકીને જતા રહે છે.
એ પછી આ મહિલાઓ નરક જેવું જીવન પસાર
કરે છે, અમે આગળ આ અંગે પણ જણાવીશું,
પરંતુ પહેલા
એ જાણી
લો કે દેશની 14 ટકાથી વધારે
વસતિ મેન્ટિલ
ડિસઓર્ડરની શિકાર
છે....
મોટા ભાગે
પોલીસ મહિલાઓને
મેન્ટલ અસાઇલમ
પહોંચાડે છે
રિસર્ચર્સના જણાવ્યા પ્રમાણે, લગભગ 30થી 40 ટકા દર્દીઓ જાતે જ સારવાર માટે હોસ્પિટલ પહોંચે છે. ઘણા દર્દીઓ જે રસ્તા ઉપર ફરતા હોય છે તેમને પોલીસ મેન્ટલ હોસ્પિટલ પહોંચાડે છે.
જો પોલીસને એવું લાગે છે કે તેઓ પોતાને કે અન્ય લોકોને નુકસાન પહોંચાડી શકે છે અથવા પોતાની દેખરેખ કરવામાં સક્ષમ નથી તો તેમને સારવાર માટે હોસ્પિટલ કે શેલ્ટર હોમ મોકલી દેવામાં આવે છે. એમાં વિશાળ સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ હોય છે. માન્યતા છે કે પુરુષોની સરખામણીમાં તેમને સુરક્ષાની વધારે જરૂરિયાત હોય છે. એટલે અનેકવાર તો બળજબરી તેમને હોસ્પિટલમાં
દાખલ કરવામાં આવે છે.
પરંતુ મગજનું
સંતુલન ખોઈ બેસેલી યુવતીઓ શું મેન્ટલ હોસ્પિટલ અને શેલ્ટર હોમમાં સુરક્ષિત
રહી શકે છે? જુઓ આ ગ્રાફિક્સ...
મેન્ટલ હોસ્પિટલમાં મહિલાઓ સાથે
જાનવરો કરતાં
પણ વધારે
ખરાબ વ્યવહાર
થાય છે
સારવારના નામે બળજબરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતી આ મહિલાઓ અને યુવતીઓ સાથે ત્યાં જાનવરોથી પણ વધારે ખરાબ વ્યવહાર કરવામાં આવે છે. ત્યાં પહોંચતાં જ તેમના શોષણનો સિલસિલો શરૂ થઈ જાય છે.
હ્યુમન રાઇટ્સ વોચનું રિસર્ચ જણાવે છે કે સાઇકોલોજિકલ અને ઇન્ટેલેક્ચુઅલ
ડિસએબિલિટીઝની શિકાર આ મહિલાઓને ત્યાં પીડા ભોગવવી પડે છે. મેન્ટલ હોસ્પિટલમાં
દાખલ મહિલાઓના પ્રેગ્નેન્ટ થવાના મામલાઓ પણ સામે આવે છે. એકવાર આ મહિલાઓ આ ઇન્ટિટ્યૂટ્સમાં
પહોંચી જાય છે, ત્યારે તેમને લાંબા સમય સુધી ત્યાં બંધ રહેવું પડે છે. ગંદકીવાળા વાતાવરણમાં તેઓ પડી રહે છે, જ્યાં તેમની કોઇ દેખરેખ કરતું નથી. નાની-નાની ભૂલોમાં, વાત ન માનવી કે દવા ન લેવા જેવી બાબતોમાં નિર્દયતા સાથે માર મારવામાં આવે છે.
બીમાર યુવતીઓ
પાસે કામ કરાવવામાં આવે છે
હ્યુમન રાઇટ્સ વોચે પોતાના સ્ટડીમાં જાણ્યું કે અનેક ઇન્ટિટ્યૂટ્સમાં સ્ટાફ દર્દીઓ પાસે પોતાના ઘરેલુ કામ કરાવે છે. જે યુવતીઓ વધારે બીમાર નથી, કર્મચારીઓ તેમની પાસે ભોજન બનાવવાનું, વાસણ સાફ કરાવવાનું અને કપડાં ધોવડાવવાનું કામ કરાવે છે. તેઓ ભણવા જઈ શકતી નથી. અનેક જગ્યાએ ટ્રેનિંગ આપવાના નામે તેમની પાસે અનેક સેવાઓ લેવામાં આવે છે, જેના બદલામાં તેમને કોઈ પગાર આપવામાં આવતો નથી.
મહિલાઓને પોતાના
વાળ સાથે
ખૂબ જ પ્રેમ હોય છે, પરંતુ હોસ્પિટલ્સમાં શેમ્પૂ
જેવા નાના
ખર્ચને બચાવવા
માટે તેમના
વાળ કપાવી
નાખવામાં આવે છે, જેની અસર તેમના માનસિક સ્વાસ્થ્ય
પર ખરાબ
પડે છે.
સારવાર કરવા
માટે મંજૂરી
લેવામાં આવતી
નથી, સામાન્ય
હોસ્પિટલમાં જગ્યા
મળતી નથી
રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું કે મહિલા દર્દી પાસે સારવારની રીત માટે કોઈ મંજૂરી લેવામાં આવતી નથી. નિયમ વિરુદ્ધ ઇલેક્ટ્રોકોન્વલ્સિવ થેરપી (ECT)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઇલેક્ટ્રોકોન્વલ્સિવ થેરપી એટલે ઈસીટીને શૉક થેરપી પણ કહેવામાં આવે છે, જેમાં દર્દીઓને એનેસ્થેસિયા આપીને સૂવડાવી દેવામાં આવે છે. પછી તેમના માથા પર ઇલેક્ટ્રોડ્સ રાખીને કરંટના હળવા ઝટકા આપવામાં આવે છે, જેને કારણે દર્દીના મગજની રાસાયણિક ગતિવિધિઓમાં
ફેરફાર થાય છે. ડિપ્રેશનનાં લક્ષણ ઘટવા લાગે છે.
હિંસક અને આત્મહત્યાની પ્રવૃત્તિ ધરાવતા દર્દીઓ સાથે જ કર્મચારીઓ તે નવા દર્દીઓને પણ વીજળીના ઝટકા આપે છે, જેમને સંભાળવા તેમના માટે મુશ્કેલ હોય છે.
રિસર્ચ કરનારી
ટીમ સામે
હોસ્પિટલના કર્મચારીઓએ આવા દર્દીઓને
શૉક થેરપી
આપવાની વાત સ્વીકારી છે...
મોટા ભાગે ખાનપાનની સામગ્રીઓમાં
દવા મિક્સ કરીને દર્દીઓને આપવામાં આવે છે અને તેમને આ અંગે કોઈ જાણકારી પણ હોતી નથી. આ નિયમો અને એથિકલ પ્રેક્ટિસની વિરુદ્ધ છે.
આ અંગે એક્સપર્ટ્સ જણાવે છે કે ભારતમાં ઇલાજ માટે દર્દીઓની મંજૂરી જરૂરી છે, પરંતુ દેશમાં સંસાધન નથી. સારવાર કરનાર એક્સપર્ટ્સથી લઇને કર્મચારીઓની
ઊણપ છે. દર્દીઓના પરિવારમાં પણ જાગરૂતતા હોતી નથી. એવામાં ક્યારેક નિયમોનું પાલન કરવું મુશ્કેલ બને છે. બીજી બાજુ, સામાન્ય હોસ્પિટલમાં
આ દર્દીઓના સારવાર અંગે ધ્યાન આપવામાં આવતું નથી.
નિમ્હૈંસના એક પ્રોફેસરે હ્યુમન રાઇટ્સ વોચને જણાવ્યું હતું કે બ્રેસ્ટ કેન્સરથી પીડિત નિમ્હૈંસની એક દર્દીને ICUમાં દાખલ કરતી સમયે આવી જ મુશ્કેલીઓનો
સામનો કરવો પડ્યો. પછી તેનું મૃત્યુ થઈ ગયું.
હવે સવાલ
ઊભો થાય છે કે આખરે
આ મહિલા
દર્દીઓને તેમનો
પરિવાર કેમ છોડી દે છે અને પછી ફરી પાછા વળીને કેમ આવતા નથી... ચાલો...
જાણીએ આ સવાલનો જવાબ
માનસિક દૃષ્ટિએ
બીમાર મહિલાઓને
પરિવાર કેમ તરછોડી દે છે
એક્સપર્ટ જણાવે છે કે જો દર્દી કોઈ પુરુષ છે તો તેમની દેખરેખ તેમની માતા, બહેન કે પત્ની કરે છે, પરંતુ દર્દી મહિલા હોય તે તેમની સાથે ઊંધો વ્યવહાર થાય છે. તેમને ઘરમાં કોઈ કામના સમજવામાં આવતા નથી અને તેઓ માથાનો ભાર કહેવામાં આવે છે. આ જ કારણ છે કે પુરુષોની સરખામણીમાં મહિલાઓને વધારે તરછોડવામાં આવે છે.
રાષ્ટ્રીય મહિલા આયોગના રિપોર્ટ પ્રમાણે, એમાંથી મોટા ભાગની મહિલા દર્દીઓને તેમનો પરિવાર સોશિયલ સ્ટિગ્માના કારણે છોડી દે છે. સોસાયટી આજે પણ માનસિક સમસ્યાઓથી પરેશાન થયેલા લોકોને અજીબ દૃષ્ટિએ જોવામાં આવે છે. ક્યારેક-ક્યારેક ઘરમાં જગ્યા ઓછી, દર્દીઓની દેખરેખ કરનારા લોકોની વધારે ઉંમર, રૂપિયાની ખોટ અને મોંઘી સારવાર જેવાં કારણો પણ જવાબદાર હોય છે. એક્સપર્ટ્સ જણાવે છે કે એ જરૂરી નથી કે મહિલાઓને છોડી દેવાના દરેક મામલાઓમાં પરિવાર દોષી હોય.
પબ્લિકના માનસિક
સ્વાસ્થ્યને બનાવવા
માટે સરકાર
ગમે તેટલી
ગંભીર હોય, એનો અંદાજો તમને
આ ગ્રાફિક્સમાં આપેલા આંકડાથી
જાણી શકાય
છે....
રિકવરી પછી બહારની દુનિયામાં જગ્યા
મળતી નથી
સારવાર કર્યા પછી ઠીક થયા બાદ પણ આ મહિલાઓને બહારની દુનિયામાં આગળ વધવાનો આત્મવિશ્વાસ
આવતો નથી. એવામાં તેમને સરકારી કે પ્રાઇવેટ સંસ્થાઓના શેલ્ટર હોમમાં મોકલી દેવામાં આવે છે. બહારના લોકો પણ તેમને સ્વીકારતા નથી. તેમની સાથે ભેદભાવ પણ થાય છે.
પુરુષો કરતાં
વધારે મહિલાઓ
એન્ઝાઇટી અને ડિપ્રેશનની શિકાર
પુરુષોની સરખામણીમાં મહિલાઓ એન્ઝાઇટી અને ડિપ્રેસિવ ડિસઓર્ડરનો શિકાર વધારે હોય છે. દેશના 2.7% પુરુષ અને 3.9% મહિલાઓ ડિપ્રેશનનો શિકાર છે. આ પ્રકારે 2.7% પુરુષ અને 3.9% મહિલાઓ એન્ઝાઇટીથી પીડાય રહી છે.
પૈસા અને પાવરના કારણે પુરુષો
સરળતાથી સ્ટ્રેસ
દૂર કરી છે
ડિપ્રેશન, એન્ઝાઈટી અને ઈટિંગ ડિસઓર્ડર જેવી માનસિક સમસ્યાઓની શિકાર મોટા ભાગે મહિલાઓ બને છે. લેન્સેટ જર્નલ પર પ્રકાશિત એક અહેવાલ મુજબ મહિલાઓને ડિપ્રેશન બે ગણું રહે છે.
પુરુષ અને સ્ત્રી બંને સ્ટ્રેસવાળું કામ કરે છે પણ પુરુષ પૈસા, પાવર અને પ્રશંસા જેવી ચીજવસ્તુઓનો
આધાર લઈને સ્ટ્રેસને દૂર કરી લે છે તો બીજી તરફ મહિલાઓ પાસે આ સુવિધાઓ નથી.
પીરિયડ્સના કારણે મહિલાઓને મૂડ સ્વિંગ અને વર્તનમાં ફેરફાર જેવી ફરિયાદ રહે છે અને એેને કારણે તે એન્ઝાઈટી, ટેન્શન, માઈગ્રેન, ઉદાસીનતા, ધ્યાન ભટકી જવું જેવી અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરે છે.
પ્રેગ્નન્સી
અને ડિલિવરી પછી પણ મહિલાને ડિપ્રેશન અને બીજી અનેક પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. સેક્સ્યૂઅલ અને ફિઝિકલ શોષણના કારણે પણ મહિલાઓ ડિપ્રેશન અને એન્ઝાઈટીનો શિકાર બની શકે છે.
ઉંમરલાયક થતાં જ મહિલાઓ પર ઘરની જવાબદારીઓ, અભ્યાસમાં અડચણો, અસુરક્ષિત માહોલ જેવાં કારણો તેના માનસિક સ્વાસ્થ્યને
પ્રભાવિત કરે છે. બાળપણમાં જાતીય શોષણ અને જીવનસાથી સાથે બળજબરીપૂર્વક સંબંધો બાંધવા જેવાં કારણો પુરુષોની તુલનામાં મહિલાઓને વધુપડતી ડિપ્રેશન અને એન્ઝાઈટીનો શિકાર બનાવી શકે છે. ડ્રગ્સ અને આલ્કોહોલનું સેવન કરતી મહિલાઓ બીજી મહિલાઓની તુલનામાં જાતીય શોષણ અને માનસિક સમસ્યાઓની શિકાર વહેલી બને છે.
યુનાઈટેડ નેશન્સનો એક રિપોર્ટ કહે છે કે ભારતમાં અંદાજે 66 ટકા પરિણીત મહિલાઓ ઘરેલુ હિંસાનો શિકાર બને છે, 15-49 વર્ષની 70% પરિણીત મહિલાઓ મારપીટ, રેપનો ભોગ બને છે અને તેની ઈચ્છા વિરુદ્ધ તેમની સાથે શારીરિક સંબંધો બાંધવામાં આવે છે.
ઈન્ડિયન જર્નલ ઓફ સાઈકિયાટ્રીના
રિપોર્ટ મુજબ ભારતમાં મહિલાઓ સૌથી વધુ કન્યા ભ્રૂણહત્યા, ઘરેલુ હિંસા, દહેજ હત્યા અને શારીરિક-માનસિક શોષણનો સામનો કરે છે. બાળકને જન્મ આપવો અને તેનું પાલન-પોષણ કરવું એ તેમની જવાબદારી માનવામાં આવે છે. દીકરાનો જન્મ ન થવા પર પણ મહિલાઓ સાથે મારપીટ કરવામાં આવે છે અને તેમનો ગર્ભપાત કરાવી દેવામાં આવે છે.
આપણી આજુબાજુમાં તો કોઈ માનસિક સમસ્યાથી પીડાઈ
રહ્યું તો નથી ને, આ 10 સંકેતો પરથી તમે અનુમાન લગાવી શકો છો....
માનસિક સમસ્યાઓથી
પીડાઈ રહ્યા
છો તો એક્સપર્ટને મળો
સાઈકિયાટ્રિસ્ટ ડૉ. રાજીવ મહેતા કહે છે, જો તમને પોતાની જાતમાં કે તમારી આસપાસ રહેતા લોકોના વર્તનમાં આ પ્રકારના ફેરફાર દેખાય તો તમે માનસિક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છો તો કોઈપણ ખચકાટ વિના કાઉન્સેલર અથવા સાઈકોલોજિસ્ટને મળો. સામાન્ય રીતે શરૂઆતમાં લોકો આ લક્ષણોને અવગણે છે અને જ્યારે તેઓ આ લક્ષણોને ધ્યાનમાં લે છે ત્યાં સુધીમાં સમસ્યા વધુપડતી ગંભીર બની જાય છે. આ સમયે દવાઓની ભૂમિકા જરૂરી બની જાય છે.
કઈ પરિસ્થિતિમાં તમારે કાઉન્સેલર
કે સાઈકોલોજિસ્ટની મુલાકાત લેવી
જોઈએ...