ભારતીય રેલવે આ લોકોને આપે છે ટિકિટમાં મોટું ડિસ્કાઉન્ટ, જાણો કઈ કંડીશનમાં તમે ઉઠાવી શકો છો ફાયદો
નવી મુંબઇ,તા. 4 સપ્ટેમ્બર 2023, સોમવાર
ભારતીય રેલ્વેમાં લોકો મોટા પ્રમાણમાં યાત્રા કરવાનું પસંદ કરે છે.એક તો આ સુવિધા સસ્તી હોય છે અને મજેદાર પણ હોય છે. ભારતીય રેલ્વે એ વિશ્વમાં રેલ્વેનું ચોથું સૌથી મોટું નેટવર્ક છે. આ નેટવર્ક દ્વારા દરરોજ 40 મિલિયન મુસાફરો એક જગ્યાએથી બીજા સ્થળે મુસાફરી કરે છે.
બીમાર વ્યક્તિને ડિસ્કાઉન્ટ
ભારતીય રેલવેમાં મુસાફરિ દરમિયાન ઘણી સુવિધાઓ પુરી પાડવામાં આવે છે,ખાવા-પીવાથી લઇ કંફર્ટેબલ સીટ, શૌચાલયની સુવિધા વગેરે પણ એક એવી સુવિધા જેના વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે.
રેલવે દ્વારા કોઈ ગંભીર બીમારીથી પીડિત દર્દીઓને ટ્રેનના ભાડામાં 50 થી 100 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. તે દર્દીઓને ફર્સ્ટ એસી, સેકન્ડ એસી અને સ્લીપરમાં 75 ટકા ડિસ્કાઉન્ટ મળે છે.
જો હૃદયના દર્દીઓ તેમની સર્જરી માટે જાય છે અને કિડનીના દર્દીઓ કિડની ટ્રાન્સપ્લાન્ટ અથવા ડાયાલિસિસ માટે જાય છે, તો રેલવે તેમને ભાડામાં ભારે ડિસ્કાઉન્ટ આપે છે. આવા દર્દીઓને AC-3, AC ચેર કાર, સ્લીપર, સેકન્ડ ક્લાસ અને ફર્સ્ટ એસી પર 75% સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે. દર્દીની સાથે તેની સંભાળ રાખનારને પણ આ છૂટનો લાભ મળે છે.
રેલવે આ દર્દીઓ માટે ટિકિટમાં ડિસ્કાઉન્ટ આપે છે
જો તમે કેન્સરના દર્દી સાથે ક્યાંક જાઓ છો, તો તમને ડિસ્કાઉન્ટ મળશે.
- સ્લીપર AC-3 અને સ્લીપર પર 100% ઑફર ઉપલબ્ધ છે
- એસી ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ એસી ક્લાસને ફીમાં 50% છૂટ મળશે.
- એનિમિયાના
દર્દીઓને સ્લીપર, એસી ચેર કાર, એસી-3 ટિયર અને એસી-2 કોચમાં રેલ ભાડામાં 50% છૂટ
- અસ્થમાના દર્દીઓને માસિક અને દર ત્રણ મહિને સારવાર માટે ખરીદેલી ટિકિટ પર એસી ફર્સ્ટ અને સેકન્ડ ક્લાસમાં ઑફર્સ મળે છે.
આ દર્દીઓને મળે છે 75% ડિસ્કાઉન્ટ
ચેપગ્રસ્ત રક્તપિત્ત માટે રેલવેમાં મુસાફરી કરવા માટે સેકન્ડ ક્લાસ, સ્લીપર ક્લાસ અને ફર્સ્ટ ક્લાસમાં ટ્રેન ભાડામાં 75% છૂટ આપવામાં આવે છે. જ્યારે એઇડ્સના દર્દીઓ સારવાર માટે જાય છે, ત્યારે તેમને સેકન્ડ ક્લાસની ટિકિટમાં 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ કરવામાં આવે છે. હિમોફીલિયાના દર્દીઓને સેકન્ડ ક્લાસ, સ્લીપર, ફર્સ્ટ ક્લાસ, એસી-3 અને એસી ચેયર કાર પર 75% ડિસ્કાઉન્ટ મળે છે.
From: Gujaratsamachar https://www.gujaratsamachar.com/news/national/indian-railways-gives-these-people-a-big-discount-on-tickets