લગભગ દરેક વ્યક્તિ એવો દાવો કરે છે કે, અંગદાન વિશે તે બધુ જ જાણે છે, પરંતુ આ વાત સાવ ખોટી છે. મોટાભાગનાં લોકો અંગદાન કરવા માગે છે, પરંતુ તેમને તેના વિશે સાચી માહિતી હોતી નથી. અંગદાન વિશે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે ૧૩ ઓગષ્ટે ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. અંગદાન કેટલાં પ્રકારનાં હોય છે? અને કોણ અંગોનું દાન કરી શકે છે? તે વિશે જાણવા માટે અમે મુંબઈનાં નેશનલ બર્ન્સ સેન્ટરનાં કોસ્મેટિક સર્જન ડૉ. સુનિલ કેસવાની સાથે વાત કરી હતી.
કોઈપણ વ્યક્તિ
સ્કિન અને આંખો ડોનેટ કરી શકે છે
સ્કિન અને આંખોનાં ડોનેશન વિશે વાત કરતાં ડૉ. સુનિલ કેસવાનીએ કહ્યું હતું કે, ‘સ્કિન અને આંખોનું ડોનેશન કરવા માટે બ્લડગૃપ અથવા કોઈપણ પ્રકારનાં મેચિંગની જરૂર હોતી નથી. જે વ્યક્તિને સ્કિન કે આંખોની જરૂર હોય તેને કોઈપણ વ્યક્તિની આંખો કે સ્કિન લગાવી શકાય છે. ખુશીની વાત એ છે કે, મૃત્યુનાં 6 કલાક પછી પણ સ્કિન અને આંખોનું દાન કરી શકાય છે. જો ડેડબોડીને યોગ્ય રીતે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે તો મોતના 12 કલાક બાદ પણ આંખો અને સ્કિનનું ડોનેટ કરી શકાય છે. આ ડોનેશન કરવાથી લાખો લોકોનાં જીવ બચાવી શકાય છે.
સ્કિન ડોનેશન
વિશે કોઈ જાગૃતિ નથી
ડૉ. સુનિલનાં જણાવ્યા મુજબ ઘણા લોકોને હજી પણ ખબર નથી હોતી, કે સ્કિનનું ડોનેશન પણ કરી શકાય છે. આગથી દાઝી ગયેલ કે એસિડથી દાઝેલ લોકોને સ્કિન ડોનેશન કરીને નવું જીવન આપી શકાય છે. સ્કિન ડોનેશન વિશે સાંભળીને ઘણા લોકો ડરી જાય છે. તે વિચારે છે કે, આખા શરીરની સ્કિન દૂર થઈ જશે, પરંતુ આ પ્રોસેસમાં આવું થતું નથી. સ્કિન ડોનેશનમાં પીઠ અને સાથળમાંથી સ્કિનનું ખૂબ જ પાતળું પડ દૂર થાય છે. મૃતકનાં શરીરનો આ ભાગ ઢંકાયેલો હોય છે, જેથી કોઈને કંઈ દેખાતું નથી. આ સ્કિન પર પ્રક્રિયા કરીને લેબમાં સ્ટોર કરવામાં આવે છે. પ્રોસેસ્ડ સ્કિન દાઝેલી ત્વચા પર લગાવવામાં આવે છે અને જરૂરિયાતમંદોને નવું જીવન આપવામાં આવે છે.
કેવી રીતે
કરી શકે છે સ્કિનનું ડોનેશન?
સ્કિન ડોનેશન માટે કોઈપણ વ્યક્તિનાં મૃત્યુ બાદ તેમણે ઓર્ગન ડોનેશન સેન્ટર અથવા નેશનલ બર્ન્સ સેન્ટરનાં 022 27793333 નંબર પર ફોન કરીને તેની જાણકારી આપવાની રહેશે. તેમની ટીમ દેશનાં 16 રાજ્યોમાં હાજર છે. કોલ કરતાં જ ટીમ તે વ્યક્તિનાં ઘરે પહોંચી જાય છે અને પીઠ, જાંઘ, પગની ત્વચાનું પાતળું પડ કાઢીને લેબમાં પહોંચાડે છે.
મૃત્યુ પછી જ બધા અંગોનું
ડોનેટ કરી શકાતું નથી
અંગદાન વિશે હજુ પણ લોકો પાસે યોગ્ય માહિતી નથી. લોકો સમજે છે કે, મૃત્યુ બાદ તેમનાં તમામ અંગોનું દાન કરી શકાય છે, પરંતુ એવું નથી. મૃત્યુ પછી ફક્ત સ્કિન અને આંખોનું ડોનેશન કરી શકાય છે. બ્રેઈન ડેડ વ્યક્તિ જ તમામ અંગોનું દાન કરી શકે છે. જો કોઈ વ્યક્તિ ગંભીર રીતે બીમાર છે. તેનાં શરીરનાં તમામ અંગો કામ કરી રહ્યા છે, પરંતુ તેના મગજે કામ કરવાનું બંધ કરી દેવું જોઈએ. આવી વ્યક્તિને ‘બ્રેઈન ડેડ’ માનવામાં આવે છે. સામાન્ય રીતે અકસ્માત, બ્રેઈન ટ્યુમર, માથામાં ગંભીર ઈજાઓ, લકવો વગેરેને કારણે વ્યક્તિ બ્રેઈન ડેડની સ્થિતિમાં પહોંચી શકે છે. આવી બ્રેઇન ડેડ વ્યક્તિનાં તમામ અંગોનું દાન કરી શકાય છે.
જીવતા હોય ત્યારે આ અંગોનું
ડોનેટ કરી શકે છે
કેટલાક કિસ્સામાં કિડની, લિવરનો અમુક ભાગ અને ફેફસાને જીવતા સમયે દાન કરી શકાય છે. આ દાન માત્ર પરિવારનાં લોકોને કે નજીકનાં સંબંધમાં જ આપી શકાય છે. બ્લડગૃપ મેચ હોવું જરૂરી છે. જરૂર પડે તો 'સ્વેપ ડોનેશન' કરી શકાય છે. આવામાં જો બ્લડગૃપપ મેચ થાય તો બે પરિવારનાં લોકો અંદરોઅંદર અંગોનું દાન કરીને એકબીજાની મદદ કરી શકે છે. 18 વર્ષ બાદ કોઇપણ વ્યક્તિ અંગદાન કરી શકે છે.