Friday, February 4, 2022

વર્લ્ડ કેન્સર ડે

 આજે વર્લ્ડ કેન્સર ડે છે. ત્યારે સૌથી વધુ પાન-માવા, સિગારેટના શોખિનો સૌરાષ્ટ્રમાં મળે. પરંતુ આ વ્યસન મોતના મુખ સુધી લઇ જતા વાર લાગતી નથી. દર 10 દુકાન મૂકીએ એટલે એક દુકાને મોતનો સામાન વેચાતો નજરે પડે. રાજકોટના કેન્સના નિષ્ણાત ડોક્ટરો સાથે દિવ્ય ભાસ્કરે વાત કરી તો ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગુજરાતમાં દર વર્ષે 1 લાખ લોકોએ 113 વ્યક્તિ કેન્સરગ્રસ્ત બને છે. કેન્સરના કુલ કેસોમાં 70 ટકાને મોઢાનું કેન્સર જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં પાન-માવા અને સિગારેટના વ્યસનમાં 25થી 35 વર્ષના યુવાનોનું પ્રમાણ વધું છે.

સૌરાષ્ટ્રમાં વર્ષે 6 હજારથી વધુ લોકો કેન્સરગ્રસ્ત બને છે
સૌરાષ્ટ્રના કેન્સર નિષ્ણાત ડો. નીતિન ટોળિયાએ જણાવ્યું હતું કે, યુવાનોમાં કેન્સરનું પ્રમાણ વધ્યું છે. એક રિસર્ચ પ્રમાણે ગુજરાતમાં સૌથી વધુ કેન્સરના દર્દી સૌરાષ્ટ્રમાં જોવા મળે. એક અંદાજ મુજબ દર વર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 6 હજારથી વધુ લોકો કેન્સરગ્રસ્ત બને છે. જેનું કારણ પાન-માવા અને સિગારેટ હોય છે. તમાકુ બનાવટમાં વપરાતા રસાયણ કેન્સરને નોતરે છે. પાન, બીડી, સિગારેટથી માત્ર કેન્સર થાય તેવું નથી. બ્લડ પ્રેશર, વ્યંધત્વ, નપુસંકતા, સ્ત્રીઓમા સગર્ભા સમયે બાળકનો વિકાસ રૂંધાવો વગેરે જેવા રોગનુ કારણ પણ તમાકુ હોય છે.

કેન્સરના કણો શરીરમાં કોષોની અંદર ફેલાય છે
વધુમાં જણાવ્યું હતું કે, એક અંદાજ મુજબ રાજકોટની કેન્સર હોસ્પિટલમાં દર વર્ષ 5 હજારથી વધુ દર્દી આવે છે. મોં અને ગળાના કેન્સર વધુ થવાનું કારણ તમાકું, બીડી, સિગારેટ છે. કેન્સરની ખબર પડે ત્યાં સુધીમાં ઘણાં વર્ષો નીકળી ગયાં હોય છે. કેન્સરના કણો શરીરમાં કોષોની અંદર ફેલાય જાય છે, જેને ડિટેક્ટ કરવાની તાકાત ધરાવતા મશીનો ભારતમાં મર્યાદિત સંખ્યામાં છે. આથી શરૂઆતમાં આવા કેસ ડિટેક્ટ કરી શકાતા નથી. વળી, ભારતમાં લોકો કેન્સર પેશન્ટ હોવાનું સ્વીકારતા પણ નથી.

મોઢાના કેન્સરમાં ચાંદુ પડે જે મહિનાઓ સુધી રૂઝાતું નથી
વધુમાં જણાવ્યું હતું કે, પાન, માવા અને સિગારેટના સેવનમા સૌરાષ્ટ્રના યુવાનો મોખરે હોય છે. યુવાનોને 30થી 45 વર્ષની ઉંમર વચ્ચે કેન્સર આવી જાય છે. હવે તો મહિલાઓ પણ વ્યસનનો ભોગ બની રહી છે. તેનું ચિંતાજનક પ્રમાણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના યુવાનોમાં ગળા અને મોઢાના કેન્સરનું વધુ પડતું પ્રમાણ જોવા મળે છે, જેનું મુખ્ય કારણ છે તમાકુનું સેવન. 8-10 વર્ષની ઉંમરથી બાળકો તમાકુનું સેવન શરુ કરી દે છે, જેનાથી 12-15 વર્ષની ઉંમર થતા મોઢામાં ચાંદા પડવાનું શરુ થઇ જાય છે અને સમય સાથે એ કેન્સરમાં પરિવર્તિત થઇ જાય છે, જેનાથી આજના વિશ્વ કેન્સર દિવસ નિમિતે હું સર્વે યુવાનોને એક જ સંદેશ પાઠવીશ કે વ્યસનમાં વ્યસ્ત ન રહો અને તમારા મિત્રોમાં પણ જો કોઈ પાન,બીડી કે તમાકુનું સેવન કરતા હોય તો તેને અટકાવો.


કેન્સરનું ચાંદુ પીડારહિત હોય છે
કેન્સર સ્પેશિયાલિસ્ટ ડો. કેતન કાલરીયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ પ્રમાણમાં મોઢાનું કેન્સર જોવા મળી રહ્યું છે. મોઢાના કેન્સરના લક્ષણોની વાત કરીએ તો શરૂઆત ચાંદા પડવાથી થાય છે. કેન્સરના ચાંદામાં સામાન્ય રીતે શરૂઆતમાં દુઃખાવો થતો નથી. પીડારહિત ચાંદુ હોય છે તે કોઇ પણ સારવારથી રૂઝાય નહીં સતત મોટું થતું જાય છે. આ કેન્સરના ચાંદાના મુખ્ય લક્ષણો છે. સામાન્ય ચાંદુ પડ્યું હોય તે આપણને શરૂઆતથી જ દુખે છે પણ કેન્સરનું ચાંદુ દુખતું નથી. વસ્તીની દૃષ્ટિએ વાત કરૂ તો ગુજરાતમાં દર એક લાખે 113 લોકોને કેન્સર દર વર્ષે થાય છે. જેમાંથી 70 ટકા પૂરૂષોમાં મોઢાના કેન્સર જોવા મળે છે.

એટલે તમાકુ ખાવું કોઈ પણ કાળે હિતાવહ નથી
વધુમાં જણાવ્યું હતું કે, મોઢાના કેન્સરની સારવારની વાત કરીએ તો સૌપ્રથમ સર્જરી કરવામાં આવે છે. ઓપરેશન દ્વારા જે-તે કેન્સરગ્રસ્ત ભાગ દૂર કરવામાં આવે છે. ત્યારબાદ કેન્સરના રિપોર્ટ જોઇને રેડિયેશનની થેરપી આપવામાં આવે છે. આ થેરપી આપવાનું કારણ એટલું જ છે કે, કેન્સરગ્રસ્ત ભાગમાં માઇક્રોસ્કોપી સેલ હોય તે રેડિયેશનથી મરી જાય છે. સાદી ભાષામાં કહું તો રોગ જડમૂળથી દૂર થઈ જાય છે અને તે ભાગમાં કેન્સર ન થાય. હું યુવાનોને અપીલ કરતા કહીશ કે, તમાકુ ખાવાથી કોઇ પણ જાતનો ફાયદો થતો નથી. પહેલા તો આર્થિક નુકસાન, બીજુ લાંબા ગાળે તમાકુનું સેવન કરવાથી મોઢાનું કેન્સર થાય છે. તમાકુની અંદર નિકોટીન તત્વથી કેન્સર તો કરાવે જ છે પણ હૃદયરોગની પણ તકલીફો ઉત્પન્ન થાય છે. એટલે તમાકુ ખાવું કોઈ પણ કાળે હિતાવહ નથી.

વર્ષે 3 હજારથી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવે છે
રાજકોટમાં સૌરાષ્ટ્ર કેન્સર કેર એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે કેન્સરના દર્દીઓનું નિદાન અને સારવાર અંગે માહિતી આપતા પ્રોફેસર અને હેડ ઓન્કોલોજિસ્ટ ડો. મીના શાહે જણાવ્યું હતું કે, અહીં વર્ષે 3 હજારથી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવે છે. નવા કેસ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મહિનામાં 500થી વધુની ઓ.પી.ડી. હોય છે. હાલ 600 જેટલા દર્દીઓને કીમોથેરાપી અને 300 જેટલા દર્દીઓ રેડિયો થેરપી લઈ રહ્યા છે. રેડિયો થેરપીની સાઇકલનો ખર્ચ એકથી દોઢ લાખ થાય છે. જે ખાનગી હોસ્પિટલમાં 2 લાખથી વધુ થાય છે. જે અહીં આયુષ્માનકાર્ડ ધારકોને નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે.

સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલમાં 20થી 25 કરોડની અત્યાધુનિક મશીનરી
ડો. મીના શાહે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટનું ગૌરવ છે કે આપણી પાસે સૌરાષ્ટ્રમાં સૌથી અત્યાધુનિક ત્રણ મશીનો છે. જેની કિંમત લગભગ રૂ. 20થી 25 કરોડ જેવી છે. રેડિયો થેરપી માટે બે મશીન છે. જેમાં લિનિયર એક્સિલેટર અતિ આધુનિક ટેક્નોલોજીનું મશીન 360 ડિગ્રીએ રેડિયો થેરપી આપવામાં આવે છે. જ્યારે શરીરના કોઈ ભાગમાં નજીકમાં થેરપી આપવાની હોય તેમાં બ્રેકી થેરપી થકી શરીરના તે ભાગ પાસે એનેસ્થેસિયા આપી સાધનનો એક ભાગ જેમાંથી રેડિયો કિરણ નીકળે છે તેને અંદર લઈ જવામાં આવે છે. જ્યારે દર્દીને નિદાન થઈ જાય ત્યારબાદ રેડિયેશન થેરપી પહેલાં તેનું સિટી સિમ્યુલેટર મશીનની મદદથી સિટીસ્કેન કરી તે ભાગ નિશ્ચિત કરવામાં આવે છે.

From: https://www.divyabhaskar.co.in/

૧૩ ઑગસ્ટને વિશ્ર્વ અંગદાન દિવસ

  અંગ દાનને પ્રોત્સાહન આપવું: ઉદારતા દ્વારા જીવન બચાવવું તાજેતરના વર્ષોમાં, સરકારી સંસ્થાઓ, આરોગ્યસંભાળ સંસ્થાઓ, સામાજિક કાર્યકરો અને સામાન્...

Ravi purti News

આરોગ્ય તથ્યો જેના પર તમે વિશ્વાસ કરી શકો છો.

ECHO News

Health News

Business plus